મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર થી સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે આવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૦.૯.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે ગાંધીનગર થી સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે આવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરનાર છે. મુખ્યમંત્રી સાંજે ૫ થી ૬ વાગ્યે આવવાના છે. તેમનો આગળનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે, તેમ છતાં સાંજે હેલિકોપ્ટર રસ્તે આગમન બાદ સાગર દર્શન રેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ વહેલી સવારે ૫ થી ૬ વાગ્યા દરમિયાન સોમનાથ ભગવાનના ચરણમાં શિશ નમાવીને લોકોને કોરોનાની આફતમાંથી મુકત કરવા પૂજન-અર્ચન તેમજ અભિષેક, આરાધના કરશે, ત્યારબાદ પરત રવાના થશે. એટલું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીના આગમનના અનુસંધાને સોમનાથ પરિસર સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment